તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત ભારતિય રમકડાં બનાવવાની સ્પર્ધા યોજાશે


SHARE











મોરબીમાં આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત ભારતિય રમકડાં બનાવવાની સ્પર્ધા યોજાશે

મોરબીમાં ૨૩ મી જાન્યુઆરી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ એટલે કે પરાક્રમ દિવસ તથા તા.૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત  ભારતિય  રમકડાં  બનાવવાની સ્પર્ધા યોજાશે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક.હાઈસ્કૂલ મોરબી દ્વારાં આગામી તા.૨૩ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ (પરાક્રમ દિવસ) તથા તા.૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો એટલે કે માનવસર્જીત વારસો કે જે માનવીએ પોતાની બુધ્ધિ-શક્તિ, આવડત, કલા-કૌશલ્ય દ્વારાં જે કાંઈ સર્જ્યુ તેને સાંસ્કૃતિક વારસો કહેવાય.ભારતે પ્રાચિન સમયથી વિશ્વને અનેક ભેટો ધરી છે.ભારતમાં શિલ્પો કંડારવાની કલા ૫૦૦૦ વર્ષ જુની છે.આત્મનિર્ભર  ભારત માટે પરંપરાગત  રમકડાં બનાવીએ.રમકડાંની રમત, રમકડાં એકટિવિટીને વધારનારા હોય છે. રમકડાં આપણી સૌની મહત્વકાંક્ષાઓને પણ પાંખો આપે છે.રમકડાં ન માત્ર મનને બહેલાવે છે. રમકડાં મનને બનાવે પણ છે અને હેતુ પણ ઘડે છે.

"રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે " રમકડાં એવાં હોવા જોઈએ જે બાળકનાં બાળપણને બહાર લાવે. આપણે બાળકો માટે શું કરી શકીએ જેથી નવું જાણવાં શિખવાનો લ્હાવો બાળકને મળી જાય.એવાં રમકડાં બનાવતાં  શીખીએ તે માટે આ સ્પર્ધા યોજાશે સ્પર્ધકો એ કેટેગરીમુજબ પરંપરાગત માટી, કપડાં, લાકડાંની કે પ્લાસ્ટીકની કલાકૃતિઓ (મૂર્તિઓ) માંથી રમકડાં બનાવવા નાં છે.જેમા સ્પર્ધકોએ ઘરે બેઠાં બનાવેલ રમકડાંનો વિડીયો બનાવી મોકલી આપવાનો છે.એન્ટ્રી મોકલવાની છેલ્લી તા.૨૬-૧ રાતના નવ સુધીમાં એન્ટ્રી એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવાની રહેશે.






Latest News