મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?


SHARE













મકરસંક્રાંતિપતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?

મકરસંક્રાંતિએ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. અને મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ છે પરંપરાઓ મુજબ, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ સાથે તમામ શુભ કાર્યો શરૂ થાય છે. જેમાં લગ્નથી માંડીને પૂજા સુધીની તમામ મંગળ કાર્યો મકરસંક્રાંતિથી શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને ધર્માદા જેવા કાર્યો વિશેષ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર દેશના ઘણા શહેરોમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. જેથી મકરસંક્રાંતિને પતંગ ઉત્સવ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નિમિત્તે બજારોને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યા છે. અને લોકો રંગબેરંગી પતંગ ઉડાવે છે. ત્યારે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું ધાર્મિક મહત્વ પણ છે એવું માનવામાં આવે છે કે, મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રીરામના સમયમાં શરૂ થઈ હતી. અને તમિલના રામાયણ અનુસાર મકરસંક્રાંતિના દિવસે શ્રીરામે પતંગ ઉડાવ્યો અને તે પતંગ ઇન્દ્રલોકમાં ગયો હતો અને ભગવાન રામ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ ચાલુ છે.






Latest News