ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

સાંસદ વિનોદ ચાવડાએ ૩૦૦ બેડની આધુનીક હોસ્પિટલ ગાંધીધામમાં બનાવવા રજુઆત કરી


SHARE











સાંસદ વિનોદ ચાવડાએ ૩૦૦ બેડની આધુનીક હોસ્પિટલ ગાંધીધામમાં બનાવવા રજુઆત કરી

૩૦૦ બેડની અત્યાધુનિક પીજીઆઇ સમકક્ષ હોસ્પિટલ ગાંધીધામમાં બને માટે મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રિય હેલ્થ મિનિસ્ટર પાસે રજુઆત કરેલ છે.

ઔધોગિક હબ ગાંધીધામ મધ્યે પીજીઆઇ સમકક્ષ ૩૦૦ બેડની હોસ્પિટલ બનાવવા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભારત સરકારના હેલ્થ અને ફેમિલી વેલ્ફર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી માંગણી કરેલ છે.પોષ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ (PGIMER) સમકક્ષ હોસ્પિટલ ગાંધીધામમાં બને તેવો પત્ર કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા તથા ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીને પણ પાઠવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ગાંધીધામ મધ્યે સુવિધા સભર, સુપર સ્પેશિયાલીટીઝ અને શૈક્ષણિક તબીબી સંસોધન વાળી ૩૦૦ બેડની હોસ્પિટલ બને અને બીમાર પીડિતોને માનવીય સંવેદના સભર સેવા સ્થાનિકે મળી રહે અને દર્દીઓને અમદાવાદ, રાજકોટ કે મુંબઇ સુધી ધક્કા ન ખાવા પડે અને ગંભીર રોગોનું નિદાન અને સારવાર મળી રહે તેવી રજુઆત કરવામાં આવેલ છે.






Latest News