મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત


SHARE











મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત

મોરબી વન વિભાગમાથી નિવૃત થયેલા અધિકારીઓને પગારમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને અધિકારીઓ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય દૂર કરવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં લખ્યું છે કે, સરકારે વનપાલ સંવર્ગનું નામાભિધાન વન વિસ્તરણ મદદનીશ કરીને વનપાલની ભરતીના માપદંડો, ફરજ અને પગાર ધોરણ એકસરખા ૩૩૦-૫૬૦ પ્રમાણે કરેલ છે અને વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૪ના સમયગાળામાં ૭૫૦ જેટલા વન વિસ્તરણ મદદનીશની ભરતી કરી હતી. પરંતુ સરકાર દ્વારા પગાર ચૂકવવામાં ભેદભાવ રાખવામા આવેલ છે અને સરકારે જે સમયે પ્રમોશન ન આપીને મળવાપાત્ર પગાર ધોરણ ૧૬૪૦-૨૯૦૦ ના બદલે૧૪૦૦-૨૬૦૦ પગાર આપીને અન્યાય કરેલ છે જેથી નિવૃત અધિકારીઓને અન્યાય સાથે આર્થિક નુકસાન થાય છે માટે વન વિસ્તરણ મદદનીશોના ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય અને સમયાંતરે થયેલા સુધારા વધારાને ધ્યાને લઇ જુનિયર કર્મચારીઓની સાપેક્ષમાં સિનિયર કર્મચારીઓને પગારમાં થતો અન્યાય દૂર કરવાની માંગ કરેલ છે






Latest News