મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન


SHARE





મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત તા. ૨૩-૯-૨૦૨૬ એ શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર, તા. મોરબી નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં નાગરિકોને વિવિધ રોગો માટે નિઃશુલ્ક નિદાન અને સારવારની સાથે આયુર્વેદિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કૅમ્પમાં ૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન આપવામાં આવશે. હરસ, મસા અને ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદિક સારવાર અંગે માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે ,સાંધાના દુઃખાવાથી પીડાતા દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા. તેમજ ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ માટે ડ્રાય ઉકાળા, સંશમની વટી તથા આર્સેનિક આલ્બમનું વિતરણ. જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય એચ. એમ. જેતપરીયા  અનુરોધ કર્યો છે.




Latest News