શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેડા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ


SHARE





મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ

ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે મોરબીથી ઘણા ભક્તો જતાં હોય છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન જતા ભક્તો માટે મોરબી મહાપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરીને મોરબીથી લજાઈ સુધી દોડતી સિટી બસને ભીમનાથ મહાદેવ મંદિર સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તેના સમયની વાત કરીએ તો મોરબી મહાપાલિકાથી સવારે 7:30, 8:00, 10:00 અને 12:00 વાગ્યે બસ ઉપડશે. જ્યારે ભીમનાથ મહાદેવ મંદિરથી સવારે 9:00, 11:00 અને 12:00 વાગ્યે બસ પરત મોરબી આવશે. અને આ સુવિધાનો શિવભક્તોને વધુમાં વધુ લાભ લેવા માટે મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તેમજ ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડરિયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.




Latest News