શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા


SHARE





વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા

વાંકાનેરના ધમલપર ગામ પાસે આવેલ 220 કેવી સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી કરવામાં આવેલ હતી જે ગુનામાં નાસતા ફરતા આરોપી મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ધરમપુર રોડ પરથી ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ પુષ્કરધામ એવન્યુ-નાગબાઈ મંદિર પાસે રહેતા નિકુંજભાઈ ભવનભાઈ રામાણી (36)એ એપ્રિલ 2025 ના રોજ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ધમલપર ગામ પાસે 220 કેવી વાંકાનેર સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેપેસીટર બેંકના એક રિયક્ટરની ચોરી કરવામાં આવેલ છે જેનું વજન 300 કિલો અને કિંમત 50,000 રૂપિયા થાય છે. આ ગુનામાં આરોપીને પકડવાના બાકી હતા તેવામાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, વાંકાનેર સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ધરમપુર રોડ પર સુરાપુરા દાદા મંદિર પાસે ઉભા છે જેથી મોરબી તાલુકા પોલીસની ટિમ ત્યાં પહોચી હતી અને આરોપી અરવિંદ બચુભાઈ વિરમગામીયા (33) રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી, વનરાજ દેવરાજ કુંઢીયા (20) રહે. લીલાપર ચોકડી મોરબી અને કાટીયો ઉર્ફે અશોક નરસીભાઈ વિરમગામીયા (35) રહે. કુળદેવી પાનની બાજુમાં માફાતિયાપરા મોરબી વાળાને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવેલ છે.




Latest News