મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભુજમાં રાજ્યપાલના સેમિનારમાં મોરબી અજંતા ગ્રુપના જયસુખભાઇ વિશેષ ઉપસ્થિતિ રહ્યા


SHARE











ભુજમાં રાજ્યપાલના સેમિનારમાં મોરબી અજંતા ગ્રુપના જયસુખભાઇ વિશેષ ઉપસ્થિતિ રહ્યા

"જળ એજ જીવન છે." ભુજ ખાતે જળ સંચય અને પ્રાકૃતિક ખેતીએ મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ડો. નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત રાજ્ય) સાથે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ અને દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતા અને લોક હિત, લોક કલ્યાણ અને લોકોની સુખાકારી માટે પાટીદાર રત્ન જયસુખભાઇ ઘણા વર્ષોથી "રણ સરોવર" પર રીસર્ચ અને અથાગ મહેનત કરી રહ્યા છે.

સેમિનાર દરમ્યાન રાજ્યપાલને "રણ સરોવર" પુસ્તકની થર્ડ એડિશન અર્પણ કરવામાં આવી હતી. અને કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે જ થશે જો યોજના બધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓએ પાણી માટે તરફડિયા મારવા પડશે એટલે કે અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમાં કોઈ સ્થાન નથી. ગ્લોબલ કચ્છના દરેક સભ્યો અને દરેક મહાનુભવોએ "રણ સરોવર" રૂપી આ વિરાટ દીર્ઘદ્રષ્ટિ બદલ જયસુખભાઇને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી હતી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત પર પણ ભાર મુક્યો હતો.






Latest News