મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા


SHARE







મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા

મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થઇ જતાં ઇજા પામેલા દેવરાજભાઇ વામજા (ઉ.વ. 68, રહે. આલાપ સોસાયટી, રવાપર રોડ) ને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખેસડાયા હતા. જ્યારે પંચાસર ચોકડી નજીક વાડી વિસ્તારમાં રહેતા ચંદ્રીકાબેન ગોવિંદભાઇ કણસરીયા (ઉ.વ. 34) ને ચારેક લોકોએ માર મારતા ઇજા પામેલ હાલતમાં સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ હળવદના ટીકર ગામે રહેતા દિપીલ રાઠોડ નામના 13 વર્ષના બાળકને સાપ કરડી જતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

હળવદ મારામારી
હળવદના મીંયાણી ગામે રહેતા રૂખડભાઇ દેલવાણીયાને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લવાયો હતો જ્યારે હળવદ ખાતે રહેતા પરિવારની ચાર વર્ષની દિકરી તાનીયા પુરાણી પહેલા માળેથી નીચે પડી જતાં ઇજા પામેલ હોય અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

માળીયા મીંયાણાના ખાખરેચી ગામે વાડીએ રહી મજુરી કરતો મુકેશ સોહમભાઇ નામનો યુવાન કોઇ કારણસર વાડીએ દવા પી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદના ચુંપણી ગામે રહેતા મુળ પંચમહાલના મનાભાઇ નીનામાને વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ઇલ્યાસ ઉસ્માનભાઇ શેખને વાંકાનેર ખાતે વાહન અકસ્માતમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે માળીયાના ખાખરેચી ગામે રહેતા પિયુષ માત્રાભાઇ ભરવાડ નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે મોરબી લવાયો હતો. દીઘડીયા ગામે થયેલ અકસ્માતમાં ઇજા પામેલ વસંતગીરી ગૌસ્વામી (ઉ.વ. 54, રહે. અદેપર, મોરબી)ને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.

સગીરા સારવારમાં
હળવદના દેવળીયા ગામે વાડીએ રહી મજુરીકામ કરતાં પરિવારની નીશાબેન પંડિતભાઇ નાયકા નામની પંદર વર્ષની સગીરા કોઇ કારણસર દવા પી ગયેલ હોય તેણીને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે માળીયા મીં.ના નવલખી ખાતે આવેલ જુમાવાડીમાં રહેતો અલી અબ્દુલ શેખ નામનો પાત્રીસ વર્ષીય યુવાન નવલખી ખાતે રેલવે ફાટક પાસે આવ્યો હતો. ટંકારાના હડમતીયા ગામે રહેતા શાંતાબેન લાલાભાઇ ગારડીને લજાઇ-હડમતીયા વચ્ચે કોઇ બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત શાંતાબેનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News