મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન


SHARE







સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની ઉત્કર્ષ યોજના અનુસાર ઉચ્ચ અભ્યાસમાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓએ મહાનુભાવોને સન્માનવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગ રૂપે વિદ્યાર્થીઓ પાસેથી માર્ક શીટ મંગાવવામાં આવેલ છે અને મહાનુભાવોની વિગતો મેળવાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમ આગામી દિવસોમાં ગોંડલ ખાતે યોજાશે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા તથા ઉપપ્રમુખ છેલભાઈ જોશીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને મહાનુભાવોને સન્માનવાનો કાર્યક્રમ આગામી દિવસોમાં શ્રી ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠ, ગોંડલના સાનિધ્યમાં યોજવાનો છે. આ તેજસ્વીતા અભિવાદન સમારોહમાં એસ.એસ.સી, એચ.એસ.સી, બી.એ. બી.કોમ., બી.એસસી., બીએસસી-હોમ સાયન્સ., બી.સી.એ., એલ.એલ.બી., એમ.એ., એમ.કોમ.

એમ.એસ.સી.બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ., ડી.એચ.એમ.એસ., એમ.બી.બી.એસ.ડી.ઈ., બી.ઇ., એમ.ઇ., બી.ટેક., ફાઇન આર્ટસ તથા જર્નાલિઝમમાં છેલ્લા વર્ષમાં માર્ચ 2026 અને ત્યાર પછી આવેલ પરિણામોમાં ઉત્તેર્ણ થનાર વિદ્યાર્થીઓની માહિતી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ 2025-26 માં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત સરકાર કે ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પ્રાપ્ત કરેલ  મહાનુભાવોને પણ સન્માનવામાં આવશે જેથી વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની પાછળ પોતાનું નામ, સરનામું તેમજ પોતાનો તથા તેમના વાલીનો મોબાઈલ નંબર સ્પષ્ટ અક્ષરે લખીને વિદ્યાર્થીઓએ પોતાની માહિતી તા. 16/8/2026 સુધીમાં ડી.જી.મહેતા (મેનેજિંગ ટ્રસ્ટીસૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, ટ્રસ્ટ. સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ, સ્ટેશન રોડ, અમરેલી મો. 9428621600)ને મોકલવી આપવાના રહેશે. 






Latest News