મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા દેવજીભાઈ બાબુભાઈ ગેડીયા (ઉંમર ૫૦) ધંધો સિક્યુરિટી મેન વાળાઓએ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે, તેઓને દીકરી રીટાબેન દેવજીભાઈ ગેડિયા (ઉમર ૨૨) તા.૯-૭ ના સવારે ઘરેથી ચપ્પલ સીવડાવવા માટે જાવ છું.તેમ કહીને નીકળ્યા બાદ પરત આવેલ નથી.અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો કોઈ પતો લાગ્યો નથી.જેથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ આ બાબતે ગુમસુધા નોંધ દાખલ થતા સ્ટાફના એમ.પી.ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મ મંગલ સોસાયટી પાસેની સાનિધ્ય પાર્ક વિસ્તારમાં રહેતી ભૂમિબેન મનસુખભાઈ કાવર નામની ૨૨ વર્ષની યુવતી થોડા સમય પહેલા ગુમ થઈ હતી. જે અંગે તેના ભાઈ કાર્તિક કાવર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી.તેથી પોલીસે તપાસ ચલાવી હતી.દરમિયાનમાં સામે આવ્યું હતું કે, ગુમ થયેલા ભૂમિબેન મનસુખભાઈ કાવરે ઓમભાઇ હિરેનભાઈ વરમોરા (૨૨) રહે.સરા પ્લોટ વિસ્તાર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર સાથે લવ મેરેજ કરી લીધેલ છે.જેથી પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ધવલ પાન પાસે રહેતા હિંમતભાઈ બાબુભાઈ ચીખલીયા નામનો ૪૦ વર્ષનો યુવાન નવલખી રોડ સેંટ મેરી સ્કૂલ પાસે રોડ ઉપર ફીનાઈલ પી ગયો હતો.જેથી તેને સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસમાં જાણ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે હિંમતભાઈને બાંધકામનો ધંધો ચાલતો ન હોય અને કારના હપ્તા ચડી ગયા હોય તથા મિત્રો પાસેથી લીધેલી ઉછીની રકમ પરત આપવાની હોય પરંતુ પૈસાની વ્યવસ્થા ન હોય તેથી આર્થિક ટેન્શનમાં આવી જતા તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતુ.

દારૂ પકડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં સલાટ શેરીના ખૂણે મહિલા દુકાન ચલાવતી હોય દુકાન પાસેથી ૪૦ લીટર દારૂ મળી આવતા હાલમાં શબાનાબેન બિલાલભાઈ બસીરભાઇ ખલીફા (૩૦) રહે.ઇન્દિરાનગર સામે દારૂ અંગે ગુનો દાખલ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે મકનસર પોલીસ ચોકી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા આશિષભાઈ રમેશભાઈ રાઠોડ (૩૦) રહે.મહેન્દ્રનગરને ઈજા થઈ હોય તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ઘુંટું ગામે રહેતા મનસુખભાઈ બાબુભાઈ ચૌહાણ (૫૫) નામના આધેડ અશ્વિનભાઈને ત્યાં કામ કરતા હતા ત્યારે કામ દરમિયાન સીડી ઉપરથી પડી ગયા હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News