મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિદ્યાર્થીએ આપ્યો માનવતાનો સંદેશ


SHARE







મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિદ્યાર્થીએ આપ્યો માનવતાનો સંદેશ

જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે જ બને, જ્યારે પોતાના આનંદ સાથે કોઈના જીવનમાં પણ ખુશીની પળો ઉમેરી શકાય.આ ભાવનાને ચરિતાર્થ કરવા માટે મોરબીની નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થી પનારા શ્યામ બેચરભાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરીને સમાજ સમક્ષ માનવતાનું સુંદર ઉદાહરણ રજૂ કર્યું હતુ. પોતાના સહાધ્યાયી મિત્રો સીસાંગીયા કલ્પ, પંચાસરા અમરસી, સોનગ્રા જીગ્નેશ, રાધુડીયા કિશન તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.જ્યાં વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતુ.તેમજ તેમની સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો.તેમની જીવનયાત્રાના અનુભવો સાંભળ્યા હતા અને વડિલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

આ મુલાકાત દરમિયાન એક હૃદયસ્પર્શી અનુભૂતિ સૌને થઈ કે ઘણા વડીલોને માત્ર ભોજનની જ નહીં, પરંતુ કોઈ પોતાના બનીને પ્રેમથી બે શબ્દ બોલે, તેમની વાત સાંભળે અને થોડો સમય તેમની સાથે વિતાવે તેની પણ એટલી જ તીવ્ર જરૂર હોય છે.વડીલોના ચહેરા પર ખીલેલું સ્મિત અને આંખોમાં ઝળહળતો પ્રેમ દરેકના હૃદયને સ્પર્શી ગયો.આ પ્રસંગ માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતો સીમિત રહ્યો નહીં, પરંતુ સેવા, સંસ્કાર, કરુણા અને માનવતાના મૂલ્યોને જીવંત બનાવતો એક પ્રેરણાદાયી સંદેશ બની રહ્યો.આજના યુગમાં જ્યાં જન્મદિવસની ઉજવણી મોટાભાગે મોજશોખ પૂરતી મર્યાદિત રહી જાય છે.ત્યાં આ સેવાના કાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના આનંદનો હિસ્સો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યો છે.આ પ્રસંગે શિક્ષક રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, જન્મદિવસે મોજશોખ અને દેખાડા પાછળ ખર્ચ કરવાની જગ્યાએ જો દરેક વિદ્યાર્થી એક દિવસ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ કે જરૂરિયાતમંદ લોકો વચ્ચે પસાર કરે, તેમની લાગણીઓને સમજે અને પોતાની ક્ષમતા મુજબ સેવા કરે, તો એ જ જન્મદિવસની સૌથી મોટી અને યાદગાર ઉજવણી બની શકે છે.આ આયોજન માત્ર એક વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી પૂરતું મર્યાદિત રહ્યું નહીં, પરંતુ સમાજમાં સેવા, સંસ્કાર અને માનવતાના મૂલ્યોને જીવંત બનાવતો એક પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો હતો. જો આજની યુવા પેઢી પોતાના જીવનના શુભ પ્રસંગોને આવા સેવાકાર્યો સાથે જોડે, તો સમાજમાં સંવેદના, કરુણા અને માનવતાની નવી દિશા ઉભી થઈ શકે.






Latest News