મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદના સુરવદર ગામ પાસે યુવાનને અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજયું  હતું ત્યારબાદ મૃતક યુવાનના પિતાએ ઝારખંડ રાજ્યમાં ફરિયાદ નોંધાવી હોય તે ઝીરો નંબરથી કરવામાં આવેલ ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝારખંડના વિશ્વાસટોલા નેજાબ ગામના રહેવાસી માસુમઅલી નઝરુલ ઇસલામ (53)એ હાલમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાંથી તેઓનો દીકરો શાનરેજા માસુમઅલી ઈસલામ (19) ગત તા. 3/12/25 ના રોજ રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા ટ્રેક્ટર ચાલાકે અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા શાનરેજાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માત
મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માત થયો હતો. જે બનાવમાં ઇજા થતાં મોમજીભાઈ મુન્નાભાઈ ચાવડા (૨૨) તથા વિશાલ રાજેશભાઈ અજાણા (૨૦) રહે.બંને હડમતીયા ટંકારાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.અને સ્ટાફના કિશોર મિયાત્રા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસી ફાટક નજીક એકટિવા અકસ્માતમાં ઇજા થયેલ હોય સુખદેવભાઈ રમેશભાઈ ચાવડા (૩૬) રહે.વીસીપરાને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના કે.કે.ટુકડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News