મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ


SHARE







મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં શનિવારે આગ લાગી હતી જે આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરને કામે લગાડવામાં આવેલ છે. જો કે, હજુ પણ આગ સો ટકા કાબુમાં લેવામાં આવેલ નથી. જેથી કરીને 4 ફાયર ફાઈટરને સ્થળ ઉપર રાખીને પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે તેની સાથો સાથ જે મગફળીનો જથ્થો ગોડાઉનમાં બળીને ખાખ થઈ ગયેલ છે તેને હટાવવા માટે હાલમાં હિટાચી મશીનને કામે લગાડીને બળી ગયેલ માલને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મેજિક સિરામિક નામના કારખાનાની અંદર ગોડાઉનમાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ મગફળીના જથ્થામાં શનિવારે તા. 4/7/26 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં પહોચી હતી જો કે, આગને કાબુમાં લેવા માટે પહેલા મોરબી, રાજકોટ, જામનગર અને વાંકાનેરથી બોલાવેલ 10 ફાયર ફાઇટરોને કામે લગાડવામાં આવ્યા હતા ત્યાર બાદ આગ કાબુમાં ન આવતા ક્રમશ: 6 ફાયર ફાઇટરોને છૂટા કરવામાં આવ્યા હતા જો કે, હજુ પણ આગ સો ટકા કાબૂ આવેલ નથી જેથી બુધવારે સાંજે પણ 4 ફાયર ફાઇટરોને સ્થળ ઉપર ઊભા રાખીને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને જે મગફળી ગોડાઉનમાં બળીને ખાખ થઈ ગયેલ છે તે બળી ગયેલ માલને બહાર કાઢવા માટે હાલમાં હિટાચી મશીનને સ્થળ ઉપર કામે લગાડીને  બળી ગયેલ મગફળીને હટાવવામાં આવી રહી છે અને હજુ બધુ જ ચોખ્ખું થતાં બે દિવસ જેટલો સમય લાગશે તેવી માહિતી મોરબી મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે. ઉલેખનીય છેકે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થાય છે. અને આગ લાગવાની ઘટનાના મૂળ સુધી જવા માટે એફએસએલની ટિમ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.






Latest News