મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો
SHARE
મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે એક્યુરેટ મેટલ્સ પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો હતો અને છેલ્લા ૫૭ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ નો ૧૫૯૪૪ લોકોએ લાભ લીધેલ છે અને ૭૩૧૮ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા છે.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું મોરબીના જલારામ ધામ ખાતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં કેમ્પ યોજાયો હતો. જેનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૩ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ એક્યુરેટ મેટલ્સ (હ.હીરેનભાઈ પોરીયા, લલીતભાઈ મારૂ, હીરેનભાઈ ટાંક) પરિવારના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.