સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ


SHARE





શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ

ઉનાળાના આકરા તાપમાં રાહદારીઓ, શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ લોકોને રાહત આપવાના શુભ આશયથી શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા સરદારબાગ સામે (ઓમવીવીઆઇએમ કોલેજ સામે ગ્રાઉન્ડ ) ઠંડા પીણાં, સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે ૧૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલેલા આ સેવાકાર્યમાં ગ્રુપના યુવાનોએ ઉત્સાહભેર સેવા આપી હતી.આશરે ૩૦૦૦ થી વધુ ઠંડા-પીણાં સરબતના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીથી ત્રસ્ત નાગરિકો, રીક્ષા ચાલકો, બસ મુસાફરો અને મજૂર વર્ગે આ સેવાનો લાભ લીધો અને આયોજકોનો આભાર માન્યો હતો.

શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબીના પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, ધર્મભાઈ રાવલે જણાવેલ કે "માનવ સેવા એ જ પ્રભુ સેવા છે.ગરમી-તડકાંમાં પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે માટે આ બાબતને ધ્યાને રાખી આ આયોજન કરવામાં આવેલ.આ સાથે ભગવાન શ્રી પરશુરામના આદર્શોને ધ્યાનમાં રાખી અમારું ગ્રુપ હંમેશા સમાજ ઉપયોગી કાર્યો કરતું રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પરશુરામ યુવા ગ્રુપના તમામ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News