મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!


SHARE







કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!

મોરબીના જેતપર ગામે છેલ્લા 11 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પ્રતિપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન થોડા સમય પહેલા એક જાહેર કાર્યક્રમની અંદર કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીના માણસોને કામ બંધ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે જેતપર ગામે જ્યાં આંદોલન ચાલે છે તે ગામમાં ઉપવાસીના ખેતરની અંદર અત્યારે વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને આખા ખેતર અને ખેતીના પાકની વીજ કંપનીના માણસો દ્વારા પથારી ફેરવી નાખવામાં આવી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઇનો પસાર થાય છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની જે કામગીરી ચાલુ છે તેની સામે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે પાસેરામા પૂણી જેટલું વળતર ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલની સામે આપી રહી છે અને આ વળતર ખેડૂતોને મંજૂર ન હોવાથી ગત તા 18 જૂનથી મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આજે આ આંદોલનનો 11 મો દિવસ છે. અત્યાર સુધીમાં બે થી ત્રણ વખત સરકાર તરફથી ખેડૂતોને મંત્રાણા કરવા માટે થઈને મૌખિક આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ઉપવાસી છાવણી ખાતે બેઠેલા ખેડૂતો અને તેઓની કમિટી દ્વારા મુખ્યમંત્રી દ્વારા લેખિતમાં તે લોકોને મંત્રણા કરવા માટે બોલાવવામાં આવે ત્યાર પછી જ મંત્રણા કરવા માટે જવું છે તેવી સ્પષ્ટ વાત અધિકારીઓને કહી દેવામાં આવી છે

આજે આંદોલનના 11 માં દિવસે જો વાત કરીએ તો આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાના ખેતરની અંદર ખાનગી વીજ કંપનીનો વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી ચાલી રહી છે ઉલેખનીય છે કે, કૃષિ મંત્રીએ અગાઉ જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓ જે વીજ પોલ ઊભા કરી રહી છે તેને કામ બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજની તારીખે પણ જેતપર ગામે ઉપવાસીના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ ન્યાયની અપેક્ષા સાથે ખેડૂતોનું આંદોલન પણ ચાલી રહ્યું છે. આ આંદોલનનો અંત ક્યારે આવશે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે કારણ કે જો રાજ્યના કૃષિ મંત્રી કામ બંધ રાખવા માટે સૂચના આપે છે તો પણ જો વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવતા હોય તો ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રીને પણ ખાનગી વીજ કંપનીઓ વાળા ગણકારતા નથી તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News