મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન


SHARE







મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આંબેડકર ઉપનગર-મોરબી) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે ઉજવાતા હિન્દુ સામ્રાજ્ય દિવસના અવસરે તા.૨૮ જૂન, રવિવારના રોજ રાત્રે નવ વાગ્યે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
 
રેલીનો પ્રારંભ કપિલા હનુમાનજી મંદિર, માધાપરના જાપા પાસે, વાવડી રોડ, મોરબી ખાતેથી થશે.આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા તેના તમામ આયામોના કાર્યકર્તાઓને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. 
 
આયોજકોએ તમામ હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, યુવાનો તેમજ નાગરિકોને અચૂક હાજરી આપી રેલીને ભવ્ય અને સફળ બનાવવાની અપીલ કરી છે.હિન્દુ સામ્રાજ્ય દિવસ હિન્દુ શૌર્ય, સ્વાભિમાન અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે.છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ગૌરવશાળી સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી યોજાનારી આ ભવ્ય બાઇક મશાલ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ હિન્દુ એકતાનો સંદેશ પ્રસરાવા આયોજકો દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.





Latest News