મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી


SHARE











ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી

માનવ સેવા અને જીવદયા એ જ પ્રભુ ભક્તિનો ઉત્તમ માર્ગ છે, આ ઉક્તિને સાર્થક કરતાં મુંદડિયા પરિવારે એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરીને વડીલો અને અબોલ જીવો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે.

વીરપર ગામના રહેવાસી સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયા (હસ્તે. મણીભાઇ નથુભાઇ મુંદડિયા) ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ' સદ્ ભાવના વૃદ્ધાશ્રમ' ખાતે એક વિશેષ ગરિમાપૂર્ણ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલોને ભોજન કરાવ્યુ હતું. તેમજ માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ જીવદયાના કાર્યને પણ પ્રાધાન્ય આપીને બળદોના ઘાસચારા અને નિભાવ માટે મુંદડિયા પરિવાર તરફથી રોકડ સહાયનું યોગદાન આપવામાં આવ્યું હતું. "સ્વજનની વિદાયનું દુઃખ અસહ્ય હોય છે, પરંતુ તેમના સ્મરણાર્થે જ્યારે કોઈ અસહાય વડીલ કે અબોલ જીવને સહારો મળે છે, ત્યારે જ આત્માને સાચી શાંતિ મળે છે." તેવી લાગણી મુંદડિયા પરિવારે વ્યક્ત કરી હતી.






Latest News