ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી
મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી
SHARE
મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી
મોરબીના જીગરભાઈ અશ્વિનભાઈ સોલંકી છેલ્લા પાંચેક વર્ષથી નિયમીત રક્તદાન કરી રહ્યા છે.આજ દિન સુધીમાં તેઓએ કુલ ૨૬ વખત રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.તેઓ દર ૩ મહિને નિયમિતપણે રક્તદાન કરીને સમાજને એક સંદેશ આપવા માંગે છેકે 'રક્તદાન મહાદાન'.તેમનો ઉદ્દેશ માત્ર રક્તદાન કરવાનો જ નહીં, પરંતુ યુવાનોને પણ આ પુણ્યકાર્ય માટે પ્રેરિત કરવાનો છે.તેમનું કહેવું છે કે, "રક્તનો કોઈ વિકલ્પ નથી. આપણે આપેલું એક યુનિટ લોહી ૩ લોકોનો જીવ બચાવી શકે છે. ડરને બાજુએ મૂકીને બધાએ રક્તદાન કરવું જોઈએ. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ દ્રારા-મોરબી)