મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૯ જૂને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના: મોરબી જીલ્લામાં ત્રણ મહિનામાં ૬.૫ કરોડની સહાય મંજૂર મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી
Breaking news
Morbi Today

મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં કલર શોપનો ધંધો કરતા યુવાને ધંધામાં પૈસાની તંગી હોવાના કારણે ટેન્શનમાં આવી ગયો હતો અને તેણે પોતાને ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની સ્થાનીક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ગ્રીન ચોક પાસે મોટી હનુમાન શેરી ખાતે રહેતા વિરાજ નવનીતભાઇ દફ્તરી (40) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કલર શોપ ચલાવતો હતો અને ધંધામાં પૈસાની તંગી હતી જેના ટેન્શનમાં આવી જઈને પોતાના ઘરની અંદર લગાવેલ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જયારે હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતા અનિતાબેન માવજીભાઈ રાઠોડ (20) નામની યુવતીએ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ઘરમાં લગાવેલ હુકની અંદર સાડી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની જનકભાઈ બેચરભાઈ રાઠોડ (40) રહે. ગોરી ઘનશ્યામપુર વાળાએ હળવદ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News