ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ


SHARE











હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ

૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા હળવદ તાલુકાના કોયબા ગામના શાહિદ જવાન વનરાજસિંહ હાલુભા ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હળવદ તાલુકાનાં કોયબા ગામમાં શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ અને સમસ્ત કોયબા ગામ દ્વારા ૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા વનરાજસિંહ ઝાલાની શહાદતના ૫૦ વર્ષ પૂર્ણ થતા કોયબા ગામે શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાજ્યના મંત્રી કિર્તીસિંહ વાઘેલા, હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના આગેવાનો તેમજ નિવૃત આર્મીમેનો હાજર રહ્યા હતા અને આ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી અને શહીદ વનરાજસિંહને આર્મીના ઓફિસરો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શહીદ વનરાજસિંહ ઝાલા ગામમાં આજની તારીખે પણ સુરાપુરા તરીકે પૂજાય છે અને ત્યના લોકો તેમની માનતા માને છે અને લોકોના ધાર્યા કામો પણ થાય છે






Latest News