માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું
SHARE
માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું
મોરબી જીલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ગઇકાલે ખાખરેચી ગામે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ માળીયા તાલુકા કોંગ્રેસનાં કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામે સુરાપુરાની વાડી ખાતે કોંગ્રેસનાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય સતિષભાઈ મેરજા તેમજ મનોજભાઈ પનારા, મુકેશભાઈ ગામી, મહેશભાઈ રાજકોટિયા, કે.ડી.પરસુંબીયા, ભાવિનભાઈ ફેફર, અમરીશભાઈ ગાંભવા, મહેન્દ્રભાઈ ચીખલીયા, ભુપતભાઈ ગોધાણી, ધર્મેન્દ્રભાઈ વિડજા, ટીનાભાઇ, ભાવેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ફરી ખેડૂતો અને સામાન્ય લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવશે અને અને તેના માટે કાર્યકર્તાઓને પક્ષના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે માળિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કર્મઠ કાર્યકર્તાઓ સહિત કોંગ્રેસની વિચાર ધારા સાથે જોડાયેલ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.