ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામનો બનાવ: પતિએ બીજા લગ્ન કરતાં અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત


SHARE







હળવદના માથક ગામનો બનાવ: પતિએ બીજા લગ્ન કરતાં અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત

હળવદના માથક ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાના પતિએ બીજા લગ્ન કરેલ હોય તે મહિલાને ગમતું ન હતું અને તે બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો જેથી મહિલાને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે વાડી પાસે આવેલ બાવળના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માથક ગામે વાલજીભાઈ લાલજીભાઈ ગોહિલની વાડીએ રહીને મજૂરી કામ કરતા સીણુબેન દાદુડિયાભાઈ મોરી (28)એ વાડી પાસે આવેલ બાવળના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દાદડીયાભાઈ મોરી (34) રહે. હાલ માથક મૂળ રહે. એમપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના પતિએ બીજા લગ્ન કરેલ હોય જે મરણ જનારને ગમતું ન હતું અને બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો જેથી મનોમન લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News