ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ


SHARE











મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ

સદજ્ઞાનથી સુખ મળે છે, શુદ્ધ જ્ઞાન થી મોક્ષ મળે છે એવા હેતુથી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ની પ્રેરણા થી એમ. પી. જૈન પૌષધ શાળા ના ઉપક્રમે સમસ્ત મોરબી ના મહિલા મંડળ અને શ્રી સંઘ ની ટીમો સાથે ઋષભ પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

તપ તેજસ્વીની શ્રી વિજેતાકુમારી આર્યાજી ના અઠમ તપના વર્ષીતપ નિમિત્તે મહિલા મંડળો વચ્ચે તા. ૧૫-૫, શુક્રવારે સવારે ૯ થી ૧૨.૩૦ કલાક સુધી અલગ અલગ રાઉન્ડમાં શ્રી દશા શ્રીમાળી વાડી માં જ્ઞાન જીજ્ઞાસા વધારતા આ ઋષભદેવ પ્રભુના જીવન ચરિત્ર આધારિત પ્રશ્નમંચ માં દશ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ભાવના મંડળની ટીમ પ્રથમ નંબરે વિજેતા થયેલ કેપ્ટન પ્રીતિબેન મહેતા, મૃદુલાબેન મહેતા, નીરૂબેન દામાણી, જ્યોતિબેન મહેતા, નીરૂબેન ગાંધી ને ઋષભ ટ્રોફી તથા ગિફ્ટ, રોકડ પુરસ્કાર અને અભિવાદન પત્ર સોની બઝાર સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, હસમુખભાઈ દોશી, યોગેશ મહેતા, અશોક મહેતા, રાજુ ગાંધી, મનોજ દેસાઇ, દેવાંગ દોશી, કોર્પોરેટર જયેશ દેસાઈ વિગેરેના હસ્તે સન્માન કરવામાં આવેલ.

બીજા નંબરે કાજલ મહેતા, ભવ્ય મહેતા, ખુશ્બુ મહેતા, તેજલ દેસાઈ, હિના મહેતા તેમજ ત્રીજા નંબરે મયણાસુંદરી પુત્રવધૂ મંડળ ના સુધાબેન મહેતા, પ્રીતિ મહેતા, અંજના મહેતા, નિશિતા દોશી, ચંદ્રિકા નંદુ ને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.સમગ્ર પ્રશ્નમંચમાં બાળવય ના નૈતિક નયન ખોખાણીને જ્ઞાન પુરુષાર્થનું ઇનામ આપેલ.અહીં હાજર ઘણા બધા લોકોએ ૧૨ મહિના સુધી વિદેશ જવું નહીં, સોનું ખરીદવું નહીં, મહિનામાં ૮ દિવસ ડિઝલના વાહનમાં બેસવું નહીં, રાત્રિ ભોજન ત્યાગ વીગેરે સંકલ્પ કર્યા હતા.

આ આયોજનમાં શ્રી અરિહંત મુનિજી, શ્રી વર્ધમાન મુનીજી અને અન્ય સતીજીઓએ સેવા સહયોગ આપ્યો હતો.આ કાર્યક્રમમાં પૂ.શ્રી આરાધનાજી મ.સ્. ના સુશિષ્યા તપસ્વીની શ્રી વિજેતાકુમારી આર્યાજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.  કાર્યક્રમના મુખ્ય દાતા માતૃશ્રી ઝવેરબેન એન.નંદુ, શાંતિ સ્વરૂપ સંગોઈ, અમિત દેસાઈ વિગેરેનું એમ.પી.શેઠ જૈન પૌષધ શાળા દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ તેમ યાદીમાં જણાવાયેલ છે.  #morbi






Latest News