મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ


SHARE











મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૧૨ ટકા જીએસટી કરેલ છે તે અસહ્ય હોવાથી તેને ઘટવાની ઠેરઠેરથી વેપારી સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી કાપડ મહાજન અને રેડીમેઇડ ગારમેન્ટ એસોસિયેશ દ્વારા ગઇકાલે કલેકટરને આવેદનપત્ર આપીને ૫ ટકા જીએસટી રેટ કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારે વેપોરીઓએ જણાવ્યુ હતું કે, તા.૧-૧-૨૨ થી કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૫ ટકાને બદલે ૧૨ ટકા જીએસટી કરવામાં આવેલ છે જેથી કરીને વેપારીઓની મુશ્કેલી વધશે અને કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટ જીવન જરૂરિયાતની વસ્તુ છે તેના ઉપર જો ટેક્સ વધારવામાં આવશે તો સામાન્ય લોકો ઉપર પણ આર્થિક ભારણ વધી જશે જેથી કરીને આ આવશ્યક વસ્તુ ઉપર ટેક્સ વધારવામાં આવે નહિ અને જીએસટી રેટને યથાવત જ રાખવા માટેની મોરબીના વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે અને ટેકસ વધારવાના સરકારના નિર્ણયનો વેપારીઓએ સખત વિરોધ કરેલ છે.






Latest News