મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો


SHARE











મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા માતા-પુત્ર વચ્ચે ઝઘડો ચાલુ હતો ત્યારે ત્યાં પાડોશમાં રહેતો યુવાને તે બંનેને છોડાવવા માટે ગયો હતો ત્યારે માતાની સાથે માથાકૂટ કરી રહેલા શખ્સે યુવાનને પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવમાં કુલ બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા સલીમભાઈ દાઉદભાઈ સમા (48) નામના યુવાનને તે વિસ્તારમાં રહેતા શહેઝાદ ઈકબાલભાઈ નામના સકસે પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા સલિમભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં રજીયાબેન પલેજા (50) નામના મહિલાને પણ ઇજા થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે આવ્યા હતા. વધુમાં ઇજાગ્રસ્ત સલીમભાઈના દીકરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રજીયાબેન તેઓના ઘરની સામેના ભાગમાં રહે છે અને તેમનો દીકરો શહેઝાદ ઈકબાલભાઈ તેની સાથે માથાકૂટ કરતો હતો જેથી સલીમભાઈ ત્યાં તે બંનેને છોડાવવા માટે થઈને ગયા હતા. દરમ્યાન શહેઝાદે તેના હાથમાં રહેલ છરી સલીમભાઈને પેટના ભાગે મારી દીધી હતી જેથી તેઓને ઈજા થઈ હતી. હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં લેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News