મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ


SHARE













મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ

મોરબીના વનાળીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હતા જેથી યુવાને તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર તેના કૌટુંબીક કાકાએ છરી વડે હુમલો કર્યો હતો અને તેને પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા જે બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવ સંદર્ભે પોલીસે મૃતક યુવાનના પિતાની હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેથી કરીને આ ગુયાનમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વનળીયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગુરુવારે ગતરાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેના કૌટુંબી કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડએ પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા મહેશને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડએ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતા હતા જેથી મહેશએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ સુરેશભાઈએ મહેશને છરીના પેટ તેમજ કમરના ભાગે ઘા માર્યા હતા જે તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ (34) રહે. વનાળિયા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.






Latest News