મોરબીમાં બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જવા મુદ્દે બોલાચાલી અને ગાળા ગાળી બાદ હવે સામસામે ફરીયાદ હળવદના સુંદરીભવાની ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રાત્રે 2 વાગ્યે કુહાડી-ધોકા સાથે ઘરમાં ઘૂસીને 6 શખ્સોએ કરી તોડફોડ મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા મોરબીમા જુદી જુદી બે જગ્યાએથી દારૂની સાત બોટલો સાથે બે શખ્સ ઝડપાયા માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત હળવદના સુસવાવ ગામ પાસે નદીના કાંઠેથી અજાણ્યા 1 વર્ષના બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર મોરબીના ઘુટુ ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

કથા દરમિયાન ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

 વાંકાનેર નજીક આવેલ યાત્રાધામ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિર (માટેલ ધામ)ના સાનિધ્યમાં આવતીકાલ તા.2/5 થી 8/5 દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રાજકોટ સ્થિત શુકલ પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવેલ છે.

 કરોડો લોકોના કુળદેવીમાં આઈશ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં આવુ આયોજન થતા માટેલ ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગના પ્રારંભે તા.2ના બપોર ત્રણ કલાકે સંગીતના સથવારે માંના સાનિધ્ય ખાતેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થશે જે વાજતે ગાજતે કથા સ્થળે પહોંચશે. ત્યારબાદ સલડી નિવાસી પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રી પંકજભાઈ રવિશંકર શુકલના મુખેથી સંગીતના સથવારે કથા શ્રવણનો પ્રારંભ થશે ત્યારે આ પાવન દિવ્ય અવસરે ભાવિક ભકતજનોને કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા શુકલ પરિવાર દ્વારા જણાવાયુ છે.કથાનો સમય સવારે 8-30 થી 12-30 નો રાખવામાં આવેલ છે. મહાપ્રસાદ બન્ને ટાઈમ અવિરત પણે યોજાશે.આ અવસરે કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ધામધુમથી યોજાશે






Latest News