મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત


SHARE













મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે પાડા પુલ નીચે નટરાજથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ બનાવવા માટે અને સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વિસ્તાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર અબનાવવા માટે મોરબીના સામાજિક કાર્યકર દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા સામાજિક કાર્યકર ચિંતન રાજયગુરુએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરના પાડા પુલ નીચેનો વિસ્તાર, ખાસ કરીને નટરાજ પાસે બેઠા પુલથી લઈને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને સંભાવનાશીલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ રોડને આઇકોનિક રોડજાહેર કરવામાં આવ્યો છે અને અરુણોદય સર્કલથી વીશી પારા સુધીનો ઓવરબ્રિજ મંજૂર થયેલ છે.

મોરબીમાં નટરાજ પાસે બેઠા પુલથી શરૂ કરીને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર નદી કિનારે આવેલ છે જેથી ત્યાં આધુનિક રિવરફ્રન્ટબની શકે તેમ છે. ખાસ કરીને ત્યાં વોકિંગ અને સાયકલ ટ્રેક, ગાર્ડન અને ગ્રીન ઝોન, પરિવાર માટે સિટિંગ એરિયા, બાળકો માટે પ્લે ઝોન, ફૂડ કોર્ટ અને નાઈટ માર્કેટ, ઓપન જીમ અને યોગા ઝોન, ડેકોરેટિવ લાઈટિંગ અને CCTV સુરક્ષા અને પાર્કિંગ સુવિધા બનાવી શકાય તેમ છે. આ સુવિધા ઊભી કરવામાં આવે તો લોકોનું આકર્ષક વધશે, સ્થાનિક વેપારમાં વધારો થશે, મોરબીને પેરિસ જેવી ઓળખઅપાવામાં સહાય મળશે. 

મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે આવેલ વર્ધમાન સોસાયટીથી શરૂ કરીને વિદ્યુત નગરના ઢળિયા સુધીનો વિસ્તાર હાલમાં રહેણાંક દ્રષ્ટિએ પ્રધાનમંત્રી આવાસ યોજના યોગ્ય છે ત્યાં મધ્યમ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવે તે જરૂરી છે. અને બંને પ્રોજેક્ટ શહેરના ભવિષ્ય માટે માઈલસ્ટોન બને તેવી શક્યતા છે.






Latest News