મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે એક  વિપ્ર યુવાનનું મોત નિપજ્યું છે.યુવાનના મૃતદેહને હોસ્પિટલએ લાવવામાં આવતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી મોરબી તાલુકા પોલીસે મોતના બનાવની નોંધ કરિને આગળની તપાસ હાથ ધરી છે.વધુમાં મળતી માહિતી મુજબ, મોરબીના ખાખરાળા ગામના રહેવાસી દિપ અરવિંદભાઇ ભટ્ટ (૨૭) નામના યુવાનનું ગત તા.૨૫-૪ ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યા પહેલા કોઈ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું.યુવાનને મરણ ગયેલી હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી આ બનાવ પાછળના કારણો શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ-ઘુંટુ રોડ પાસેથી કાર જતી હતી.ત્યારે ખૂંટીયો અચાનક આડો ઉતરતા ખૂંટીયા સાથે કાર અથડાયા બાદ કાર થાંભલા સાથે ટકરાઈ હતી.આ અકસ્માત બનાવમાં કૃપાબા વિજયસિંહ ઝાલા (૧૯), ધર્મરાજસિંહ વિજયસિંહ (૧૮), રીટાબા વિજયસિંહ (૩૯) રહે.ત્રણેય જામનગર અને વિજય ભવાનભાઈ સોંદરવા (૨૫) રહે.ધ્રોલ જી.જામનગર ને ઇજાઓ પહોંચી હતી.જેથી અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરી હતી જેની તપાસના બીટ જમાદાર નંદરામભાઇ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

ટંકારાના લતીપર ગામે રહેતા રેખાબેન મંગલભાઈ પસાયા નામની ૨૮ વર્ષની મહિલાને રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તેના પતિએ ઈંટ વડે માર માર્યો હતો.જેથી ૧૦૮ વડે અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા નોંધ કરી આ બાબતે વધુ તપાસ અર્થે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News