ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો


SHARE











આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

હળવદના મયાપુર ગામે આધેડની માલિકીની વાડીમાં આવીને છ જેટલા શખ્સોએ “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને આધેડની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો તેમજ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જે બનાવમાં આધેડ સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોય તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

હળવદના મયાપુર ગામે રહેતા બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડી આવેલી છે અને તે વાડીએ આરોપીઓ આવ્યા હતા અને “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને દિલીપભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા તેના પત્ની રમીલાબેનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ અજાણ્યા ચાર શખ્સોએ બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી કરીને ઈજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, ફરિયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન છે અને તેના પિતા ભૂદરભાઈ કંઝારીયાએ આ જમીને વેંચી નાખી હતી જે બાબતે હળવદની કોર્ટમાં હાલમાં પણ ફરિયાદીના પિતાની સામે જ કેસ ચાલી રહ્યો છે તેવામાં આરોપીઓ જમીનનો કબ્જો લેવા માટે આવ્યા હતા અને વર્ષોથી ખેતીની જમીનમાં વાવણી કરતાં આધેડ અને તેના પત્નીને મારમાર્યો હતો.

વરલી જુગાર

મોરબીમાં વરિયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કલ્પેશભાઈ દિનેશભાઈ મજેઠીયા (26) રહે. સોઓરડી શેરી નં-6 વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 1,000 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો થયો છે






Latest News