મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
SHARE
મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
મોરબીની આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન અવસ્થામાં 85 વર્ષના વયોવૃદ્ધ દર્દીને લઈને આવ્યા હતા અને ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું હતું કે દર્દીને લોહીની 4-5 ઉલ્ટીઓ થઈ હતી અને એના માટેનુ જરૂરી ઓપરેશન એ દિવસે જ કરાવેલું હતું, દર્દીના હ્રદયની મુખ્ય બે નળીઓમા બ્લોક આવેલુ હતુ, દર્દીના મગજ મા લોહી નીકળેલુ છે, લિવર પર ડેમેજ થયેલુ છે, કિડની પર ડેમેજ થયેલુ છે, બી.પી ખૂબજ ઓછુ છે, ઓક્સિજન લેવલ ખૂબજ ઓછુ છે. આમ દર્દી ની અતિ નાજુક સ્થિતિને ધ્યાનમાં લેતા તાત્કાલીક ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબની સૂચના મુજબ સારવાર હેઠળ આયુષ હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમા દાખલ કરવામાં આવ્યા હતા આમ વયોવૃદ્ધ દર્દીને આટલુ જીવનનું જોખમ હોવા છતા તેમના સચોટ નિદાન અને સારવારના પગલે દર્દીનો જીવ બચી ગયો અને માત્ર એક અઠવાડિયામાં તેમની હોસ્પિટલમાથી ચાલતા પગે રજા કરવામાં આવી હતી, આથી દર્દી તેમજ તેમના સગાઓ દ્વારા આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આમ જીવન માટેની લડાઈમાં વધુ એક દર્દીને નવુ જીવન આપવામાં આવ્યું હતુ









