મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
SHARE
મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
મોરબીમાં દુકાનમાંથી ગાંજાનો જથ્થો મળી આવેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપીએ જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં ફરીયાદની ટુંક હકીકત એવી છે કે આરોપી ઉદયભાઇ રામખેલાવન વર્મા વાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ગાંજાનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે આરોપી આરીફ ઉર્ફે ભુરો ફકીર પાસેથી મેળવી પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં વેચાણ કરવા માટે રાખ્યો હતો અને રેઈડ દરમ્યાન ઉદયભાઇ રામખેલાવન વર્મા પકડાઈ ગયેલ અને બીજો આરોપી મળી આવેલ હતો નહીં. અને ત્યાર બાદ એસઓજીની ટીમે ફરાર આરોપી અજય રાયસીંહ પરમારને પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો હતો અને આ આરોપી વકીલ મયુરસીહ જાડેજા અને જે.ડી.સોલંકી મારફતે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં બન્ને પક્ષની તમામ દલીલના અંતે ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા વકીલ જયેશ પટેલ, મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, વીરેન્દુસીંહ રાઠોડ, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેળ, વીરલ છનીયારા, જયકાંત મકવાણા, સાથે ભાવીન ભંખોડીયા, રાહુલ ચાવડા રોકાયેલ હતા.









