મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક
વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
SHARE
વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
રાજકોટથી વાંકાનેર બાજુ આવી રહેલી પેસેન્જર ટ્રેનની આડે અજાણ્યા 40 વર્ષના યુવાને પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને વાંકનેર સિવિલે રાખીને હાલમાં રેલવે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તથા તેના વાલીને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે
રાજકોટ બાજુથી પોરબંદર-મુઝફરનગર ટ્રેન વાંકાનેર બાજુ આવી રહી હતી દરમિયાન વાંકાનેર રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાને ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજયું હતું અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં રેલવે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે હાલમાં મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોલ સ્ટોરેજમાં રાખીને પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલી વારસને શોધા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક યુવાનની કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા તો તેના વાલી વારસને જાણતા હોય તો વાંકાનેર રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા મો. નં. 63526 35525 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.