વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક


SHARE













મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) તરીકે ડૉ. સંજય જોશી (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મીં) નગરપાલિકાઓની બેઠકો માટે તેઓ નિરીક્ષણની કામગીરી સંભાળશે. 

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો, સૂચનો કે ફરિયાદો માટે સંબંધિત રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદાતાઓ ઓબ્ઝર્વરશ્રીનો સંપર્ક કરી શકે છે. ડૉ. સંજય જોશી (IAS) મોરબી ખાતે રોકાણ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત માટે ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓ ઓબ્ઝર્વર પ્રવાસમાં ન હોય તેવા સમયે રૂબરૂ મળી શકશે અથવા જરૂર જણાયે લેખિતમાં રજૂઆત કરી શકશે. વધુમાં, ત્વરિત સંપર્ક માટે ટેલિફોન નંબર ૯૪૨૬૩ ૨૭૨૨૭ જાહેર કરવામાં આવ્યો છે જેના પર વ્હોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કરી શકાશે. લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષકશ્રી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો અને હિતધારકોને આ સુવિધાનો ઉપયોગ કરી પારદર્શક ચૂંટણીમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News