મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત


SHARE











ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તેમાં સાત જેટલા મહિલાઓ બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રીક્ષા ચલાવીને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રૉલીમાં પાછળથી રિક્ષા અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક સહિત કુલ આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી આ અકસ્માતના બનાવમાં એક મહિલ અને એક યુવતીને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના વીશીપરા વિસ્તારમાં સરકારી વાડી પાસે રહેતા ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (35)એ હાલમાં ગફુરભાઈ સિકંદરભાઈ જામ રહે. મોરબી વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામ પાસેથી આરોપીએ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 1296 પૂર ઝડપે ચલાવી હતી અને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં રિક્ષાને અથડાવી હતી જેથી કરીને ફરિયાદીને તથા રીક્ષા ચાલકને પોતાને તેમજ રેમાબેન, જીન્નતબેન, ફીજાબેન, હસીનાબેન, સલમાબેન અને નજમાબેનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જે પૈકી રેશ્માબેન ગફુરભાઈ જામ (૧૮) રહે કુલીનગર મોરબી અને જીન્નતબેન મહમદહુશૈન સંઘવાણી (૩૯) રહે. મિયાણાવાસ બેડેશ્વર જામનગર ને વધુ ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News