મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત


SHARE











ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તેમાં સાત જેટલા મહિલાઓ બેઠેલા હતા અને રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રીક્ષા ચલાવીને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રૉલીમાં પાછળથી રિક્ષા અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક સહિત કુલ આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી આ અકસ્માતના બનાવમાં એક મહિલ અને એક યુવતીને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના વીશીપરા વિસ્તારમાં સરકારી વાડી પાસે રહેતા ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (35)એ હાલમાં ગફુરભાઈ સિકંદરભાઈ જામ રહે. મોરબી વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામ પાસેથી આરોપીએ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 1296 પૂર ઝડપે ચલાવી હતી અને આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં રિક્ષાને અથડાવી હતી જેથી કરીને ફરિયાદીને તથા રીક્ષા ચાલકને પોતાને તેમજ રેમાબેન, જીન્નતબેન, ફીજાબેન, હસીનાબેન, સલમાબેન અને નજમાબેનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જે પૈકી રેશ્માબેન ગફુરભાઈ જામ (૧૮) રહે કુલીનગર મોરબી અને જીન્નતબેન મહમદહુશૈન સંઘવાણી (૩૯) રહે. મિયાણાવાસ બેડેશ્વર જામનગર ને વધુ ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેના મોત નીપજ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News