મોરબી: પત્ની સાથે ઝઘડો થયા બાદ દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ
SHARE
મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની યુવતી ઘરેથી 'વસ્તુ લેવા માટે દુકાને જાઉં છું.' તેમ કહીને નીકળી હતી અને બાદમાં ગુમ થઈ હોય પોલીસમાં જાણ કરવામાં આવી છે.જેથી પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલી યુવતીની શોધખોળ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, હાલમાં ઘુંટુ ગામે રહેતા નથુભાઈ રતિભાઈ જાદવ નામના ૫૦ વર્ષીય આધેડે પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેમના દીકરી જયશ્રીબેન નથુભાઈ જાદવ (૨૦) ગત તા.૩-૪-૨૬ ના રોજ ઘરેથી વસ્તુ લેવા માટે દુકાને જાવ છું.તેમ કહીને નીકળી હતી અને બાદમાં ઘરે પરત ફરી ન હોવાથી ઘરમોળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં તેણીનો પતો લાગ્યો ન હોય ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી.જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે
વાહન અકસ્માત
મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા પૂનમબેન વિનોદભાઈ પરમાર (૧૭) અને વિશાલ વિનોદભાઈ પરમાર (૧૪) નામના ભાઈ બહેનને અજાણ્યા રીક્ષા વાળાએ ગામ નજીક હડફેટ લીધા હતા જેથી બંનેને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના માળિયા હાઇવે નાગડાવાસ ગામ પાસેની ગોકુલ હોટલ ખાતે રહીને કામકાજ કરતા રાજુભાઈ શર્મા નામના ૪૦ વર્ષીય યુવાન ગાળા-નાગડાવાસ વચ્ચે પગપાળા જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી સારવાર માટે તેમને અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જોકે પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું અને તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા આ બાબતે તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
રીક્ષા-બોલેરો અકસ્માત
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા મહેબૂબભાઈ જાનમહંમદભાઈ નામના ૫૦ વર્ષના આધેડ ગત તા.૨૫-૩ રોજ નવેક વાગ્યે રીક્ષા લઈને ટંકારા બાજુ જતા હતા.તે વખતે દાદાવાડી હોટલ નજીક બોલેરોના ચાલકે રીક્ષાને ટક્કર મારી હોય અકસ્માત થતાં મહેબુબભાઇને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડિ.એ.જાડેજાએ નોંધ કરી તપાસ કરી હતી.