મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત


SHARE











ટંકારાના નસીપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત

ટંકારાના નસીપર ગામની સીમમાં કારખાનાની અંદર પાણીના કુલર પાસે યુવાન પાણી પીવા માટે થઈને ગયો હતો ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીપર ગામની સીમમાં આવેલ શ્રી નીલકંઠ પ્રિન્ટપેક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર (40) નામનો યુવાન ગત તા/ 4/4 ના રોજ નીલકંઠ કારખાનામાં પાણીના કુલર પાસે પાણી પીવા માટે ગયો હતો ત્યારે ત્યાં તેને અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને ત્યારે તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની આકાશભાઈ રાજુભાઈ બંસકાર (22) રહે. મૂળ મધ્યપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું મોત

મોરબીના વિસીપરા પાસે આવેલ મોલા રાજા સાહેબની દરગાહ પાસે હાર્ટ એટેકનો હુમલો આવતા સુરતના વૃદ્ધનું નિપજયુ હતું.વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારના બુરહાની પાર્ક નજીક રહેતા ઈબ્રાહીમભાઇ યુસુફભાઈ બુટવાલા વોરા (54) નામના વૃદ્ધ કાર ડ્રાઇવિંગનું કામકાજ કરતા હોય બસમાં બેસીને સુરતથી જામનગર ગયા હતા અને ત્યાં વોરા સમાજના ધર્મગુરૂની કાર હંકારીને તેઓ મોરબી મોલાઇ રાજા સાહેબની દરગાહ નજીક આવ્યા હતા. અત્રે તેઓને હાર્ટ એટેકમાં તિવ્ર હુમલો આવતા 108 માં તેને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News