મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન


SHARE







મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે આગામી તા ૧૧/૪/૨૬ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભડીયાદ કાંટે આવેલ તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જાહેર જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત વર્ષના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજી ની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા "યુગપુરૂષ વંદના" સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષોની જીવન સંઘર્ષ ગાથાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર પ્રદીપભાઈ સોલંકી-સુરત, બિંદીયાબેન સોલંકી-જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે. આ સંગીત સંધ્યાનો વધુમાં વધુ લોકો લાભ લે તેના માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે. 






Latest News