મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા


SHARE







મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે અને તેમાં બીજા અને ત્રીજા માળ ઉપર ડોકટરની માલિકીની જગ્યા આવેલ છે અને આ શોપિંગ સેન્ટરને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનો વસાવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ બીજા અને ત્રીજા માળ ઉપર જે ડોક્ટરની માલિકી છે તેના દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી ન હતી અને ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા ન હતા. જેથી કરીને આજે ફાયર વિભાગની ટીમ મોડી સાંજે પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે પહોંચી હતી અને બે માળને સીલ કરવામાં આવેલ છે

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં આવેલા બહુમાળી બાંધકામો અને શોપિંગ સેન્ટર વગેરે જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનો ન હોય તો મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવે છે અને જે એપાર્ટમેન્ટ કે કોમ્પલેક્ષની અંદર ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવામાં આવે ત્યાં આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જોકે, ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં ન આવે અને ફાયર વિભાગની નોટીસની અવગણના કરવામાં આવે ત્યાં મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે તેવામાં આજે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે મોડી સાંજે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ત્યાં શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ ડો. નીતિન બુધ્ધદેવની માલિકીનો છે તેને હાલમાં સીલ કરવામાં આવેલ છે.

આ અંગે ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરને અગાઉ ફાયર વિભાગ દ્વારા ક્રમશઃ ત્રણ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ નીચેના માળ ઉપર જે 16 દુકાનો આવેલ છે તે દુકાનદારો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે થઈને બાંહેધરી આપવામાં આવેલ છે જોકે, આ શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ ઉપર ડો. નીતિન બુધ્ધદેવની માલિકીનો છે જેને ચાણક્યપુરી તરીકે લોકો જાણે છે ત્યાં ફાયર સેફટી માટે થઈને તકેદારી લેવામાં આવી નથી અને ફાયર વિભાગ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી તેની અવગણના કરીને ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે કોઈપણ પ્રકારની બાંહેધરી આપવામાં આવી નથી જેથી કરીને હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ સીલ કરવામાં આવેલ છે






Latest News