​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લોકલાડીલા અને લડાયક નેતા તેમજ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અમૃતિયા પરિવારના લોકો તેમજ કાંતિભાઈના ટેકેદારો અને ભાજપના આગેવાનો સહિતના લોકો હાજર h
રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું

મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ૬૪ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે લાખો કાર્યકરો અને શુભેચ્છકોની પ્રાર્થના, માનતા અને લાગણીના બળે તાજેતરમાં તેઓએ કેન્સર જેવા જટીલ રોગને પરાસ્ત કર્યો છે અને તેઓનું સફળ ઓપરેશન થઈ ગયું છે. ત્યારે તેઓના જન્મ દિવસનિમિતે તા ૮ ના રોજ રવિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુની કામના સાથે મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય મહિલાઓ સહિત ૨૦૧ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. તેવી માહિતી રાજ્યમંત્રીના દીકરા પ્રથમ અમૃતિયાએ આપી હતી.

મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈ ખાતે કેન્સરનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને તેઓને હવે નખમાં પણ રોગ નથી અને આગામી દિવસોમાં તેઓ અગાઉ જે રીતે મોરબીમાં લોક સેવાના અને લોક ઉપયોગી કામ કરતા હતા તેવી જ રીતે લોકોના કામ કરવા માટે ફરી લોકોની વચ્ચે આવી જવાના છે અને કાંતિભાઈએ કેન્સર જેવી બીમારીને પરાસ્ત કરી છે ત્યારે તેઓના ટેકેદારો અને શહેર ભાજપની ટીમમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ભાજપ પરિવારના લોકો દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવામાં આવ્યું છે.






Latest News