મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લોકલાડીલા અને લડાયક નેતા તેમજ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અમૃતિયા પરિવારના લોકો તેમજ કાંતિભાઈના ટેકેદારો અને ભાજપના આગેવાનો સહિતના લોકો હાજર h
રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું

મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ૬૪ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે લાખો કાર્યકરો અને શુભેચ્છકોની પ્રાર્થના, માનતા અને લાગણીના બળે તાજેતરમાં તેઓએ કેન્સર જેવા જટીલ રોગને પરાસ્ત કર્યો છે અને તેઓનું સફળ ઓપરેશન થઈ ગયું છે. ત્યારે તેઓના જન્મ દિવસનિમિતે તા ૮ ના રોજ રવિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુની કામના સાથે મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય મહિલાઓ સહિત ૨૦૧ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. તેવી માહિતી રાજ્યમંત્રીના દીકરા પ્રથમ અમૃતિયાએ આપી હતી.

મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈ ખાતે કેન્સરનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને તેઓને હવે નખમાં પણ રોગ નથી અને આગામી દિવસોમાં તેઓ અગાઉ જે રીતે મોરબીમાં લોક સેવાના અને લોક ઉપયોગી કામ કરતા હતા તેવી જ રીતે લોકોના કામ કરવા માટે ફરી લોકોની વચ્ચે આવી જવાના છે અને કાંતિભાઈએ કેન્સર જેવી બીમારીને પરાસ્ત કરી છે ત્યારે તેઓના ટેકેદારો અને શહેર ભાજપની ટીમમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ભાજપ પરિવારના લોકો દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવામાં આવ્યું છે.






Latest News