મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ


SHARE













મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ

મોરબી મનપા વિસ્તારમાં નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ (UGD) નેટવર્ક અને 'નલ સે જલ' પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ૧૧૫ જુદી જુદી વાડી વિસ્તારોને મોટો લાભ મળવા જઈ રહ્યો છે.

મોરબી શહેરના બાકી રહી ગયેલા વાડી વિસ્તાર માટે અંદાજે ૨૬,૬૦૪ વસ્તીને મળશે ગટર અને પાણીની સુવિધા જેમાં ભૂગર્ભની લાઈન માટે ૧૭.૬૭ કરોડ અને પાણીની લાઈન માટે ૯.૫૯ કરોડના ખર્ચે પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનની હજારોની વસ્તીને સીધો લાભ મળશે. અને ભવિષ્યની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ ભૂગર્ભ નેટવર્કથી ગંદા પાણીના નિકાલની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. અને જે વાડી વિસ્તારોનો સમાવેશ આ યોજનામાં કર્યો છે તેમા મસાલ વાડી, ચાવડા વાડી, ભુચર વાડી, જયપુરીયા વાડી અને વેગણી વાડી વગેરે જેવી જુદી જુદી ૧૧૫ વાડી વિસ્તાર આવે છે. આ પ્રોજેક્ટમાં જુદી જુદી વ્યાસ ધરાવતી પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે. જેમાં પીવાના પાણીની લાઈન માટે ૫૧ કિલોમીટર જેટલી ડીઆઇ પાણીની લાઈન નાખવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત કપુરીની વાડીમાં ભુગર્ભ પપીંગ સ્ટેશન બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગયેલ છે. જેથી સદર વિસ્તારમાં ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) આપી નાગરીકો લાભ લઇ શકે તેમ છે. અને ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) માટેની પ્રક્રિયા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે નાગરિકોએ પોતાના ઘર કે વ્યવસાયિક એકમ માટે નવું ગટર જોડાણ મેળવવું હોય, તેમણે મનપાની કચેરી ખાતેથી જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. કચેરી દ્વારા નિયત કરાયેલ ફોર્મ ભરી અને પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ જ અધિકૃત હાઉસ કનેક્શન મેળવી શકાશે.'નલ સે જલ' પ્રોજેક્ટ - આ પ્રોજેક્ટ હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. વાડી વિસ્તારોમાં રહેતા પરિવારોને હવે દુર સુધી પાણી લેવા જવું નહીં પડે અને ઘરે બેઠા જ શુદ્ધ પાણી મળી રહેશે.






Latest News