માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે


SHARE













મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે

મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માઁ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી આયોજીત નવમો સમૂહલગ્ન આગામી તા.૨૭-૪-૨૬ ને સોમવારે યોજાશે.

આ સમૂહલગ્નમાં હિન્દૂ સમાજની ૨૧ દીકરીઓ લગ્નગ્રંથીએ જોડાશે. સમૂહલગ્નમાં જોડાવવા સમૂહલગ્નના ફોર્મ તા.૧૦-૩-૨૬ સુધીમાં મંદિરેથી સાંજે ૪ થી ૬ માં મેળવી લેવાના રહેશે.માતા અથવા પિતા ગુમાવેલ તથા જરૂરીયાતમંદ પરિવારની દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા માટે મંદિરના ટ્રસ્ટી ધનુભા જાડેજા (મો.૯૭૨૬૨ ૨૮૨૦૨), વિનુભાઈ ડાંગર (મો.૯૮૨૫૯ ૧૩૬૧૫), શૈલેષભાઇ જાની (મો.૯૫૭૪૫ ૩૬૫૦૫) તેમજ ધીરૂભા જાડેજા, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા અથવા ભાવેશભાઈ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.    #morbitoday








Latest News