મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP


SHARE











મોરબી શહેરમાં વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા બી.કે.બોરીચાનું આજે ડીવાયએસપીની હાજરીમાં મોરબીના સનાળા રોડ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ શખ્સના ઘરેથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે હાલમાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ વ્યક્તિ બી.કે.બોરીચાનો ભોગ બનેલ હોય તેના દ્વારા મોરબીમાં ફરિયાદ નોંધાવવામાં પોલીસ તેઓની સાથે જ છે તેવી ડીવાયએસપી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા બી.કે. બોરીચા નામના શખ્સના ઘરની અંદરથી બે દિવસ પહેલા પોલીસે ચેક કર્યું હતું ત્યારે ઘરમાંથી બિયરના 22 ટીન મળી આવ્યા હતા જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને હાલમાં બી.કે. બોરીચાને રિમાન્ડ ઉપર લઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા જે બાબતે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે તેવામાં રવિવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર બી.કે.બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ તકે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બી.કે. બોરીચા સામે વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા ગુના અગાઉ નોંધાયેલ છે. જેથી તેની સાથે આ ગુનાઓમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેના આધારે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે લોકો બી.કે.બોરીચાનો ભોગ બનેલા હોય તેઓએ ફરિયાદ નોંધાવવી જોઈએ. મોરબીની પોલીસ ભોગ બનેલા લોકોની સાથે જ છે તેવી ખાતરી પણ ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલ છે.






Latest News