મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP


SHARE













મોરબી શહેરમાં વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા બી.કે.બોરીચાનું આજે ડીવાયએસપીની હાજરીમાં મોરબીના સનાળા રોડ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ શખ્સના ઘરેથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે હાલમાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ વ્યક્તિ બી.કે.બોરીચાનો ભોગ બનેલ હોય તેના દ્વારા મોરબીમાં ફરિયાદ નોંધાવવામાં પોલીસ તેઓની સાથે જ છે તેવી ડીવાયએસપી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા બી.કે. બોરીચા નામના શખ્સના ઘરની અંદરથી બે દિવસ પહેલા પોલીસે ચેક કર્યું હતું ત્યારે ઘરમાંથી બિયરના 22 ટીન મળી આવ્યા હતા જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને હાલમાં બી.કે. બોરીચાને રિમાન્ડ ઉપર લઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા જે બાબતે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે તેવામાં રવિવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર બી.કે.બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ તકે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બી.કે. બોરીચા સામે વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા ગુના અગાઉ નોંધાયેલ છે. જેથી તેની સાથે આ ગુનાઓમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેના આધારે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે લોકો બી.કે.બોરીચાનો ભોગ બનેલા હોય તેઓએ ફરિયાદ નોંધાવવી જોઈએ. મોરબીની પોલીસ ભોગ બનેલા લોકોની સાથે જ છે તેવી ખાતરી પણ ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલ છે.






Latest News