મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યના હસ્તે પરાપીપળીયા-ખંઢેરી વચ્ચેના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું


SHARE







વાંકાનેરના ધારાસભ્યના હસ્તે પરાપીપળીયા-ખંઢેરી વચ્ચેના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં પરાપીપળીયા ગામ ખાતે રાજકોટ જામનગર હાઈવે ઉપર પરાપીપળીયા અને ખંઢેરી વચ્ચે 43.97 કરોડનાં ખર્ચે નવો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે આ બ્રિજના કામનું વાંકાનેર-કુવાડવાનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા,રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ હુંબલ, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી વીપુલભાઈ બસીયા, રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ ગોહેલ, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીગ્નેશભાઈ ગોહેલ, ધનરાજભાઈ ડોડીયા, જસ્મીનભાઈ પીપળીયા,તેમજ સરપંચો, સંગઠનના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News