મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી
SHARE
મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી
મોરબી જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના મહામંત્રી તરીકે નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી કરીને ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકારવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા
ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહામંત્રી તરીકે મોરબીમાં જેલ રોડ ઉપર રહેતા નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી કરીને મોરબીના જેલ રોડ ઉપર આવેલા તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી અને ઢોલ નગારા સાથે લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો અત્રે ઉલ્લેખીએ છીએ કે નિર્મલભાઇ જારીયા અગાઉ જિલ્લા ભાજપની જે ટીમ હતી તેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપતા હતા અને હવે તેઓની મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે.









