મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE











મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીમાં અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર માટે આસરે 10 વર્ષ પહેલા 150 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, શહેરમાં બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનમાંથી મોટાભાગના પમ્પિંગ સ્ટેશન હાલમાં બંધ હાલતમાં છે ત્યારે તેના તેના માટે જવાબદાર કોણ તેઓ અણીદાર સવાલ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આવનારી ચુંટણીમાં મારો તે સારો નહીં પરંતુ સારો તે મારો તેવા મંત્રને નજર સમક્ષ રાખીને મતદાન કરવામાં આવશે તો મોરબીને સો ટકા પેરિસ બનાવી શકાય તેમ છે.

મોરબીમાં વર્ષ 2016 માં માજી મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે 150 કરોડની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને શહેરમાંથી ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ કરવા માટે 10 પમ્પિંગ સ્ટેશન જુદા જુદા વિસ્તારમાં બનવામાં આવ્યા છે જોકે, તે 10 પૈકીના 4 પમ્પિંગ સ્ટેશન સદંતર બંધ છે અને અન્ય પમ્પિંગ સ્ટેશન પણ થોડા સમય પહેલા ચાલુ કરવામાં આવ્યા છે તો વર્ષો સુધી આ પમ્પિંગ સ્ટેશન શા માટે થઈને બંધ રહ્યા ? તે બાબતે તપાસ કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા  દ્વારા માંગ કરવામાં આવી છે.

વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને નગરજનોને અપીલ કરી છે કે, અગાઉ મોરબીની અંદર એક જ પક્ષના 52 સભ્યોને ચૂંટણીમાં ચૂંટી કાઢીને નગરજનોએ ખૂબ હાલાકી ભોગવી છે ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં “મારો તે સારો નહીં, પરંતુ સારો એ મારો” આ મંત્રને ધ્યાને રાખીને જો નગરજનો દ્વારા ચૂંટણીમાં મતદાન કરીને ઉમેદવારોને ચૂંટવામાં આવશે તો મોરબીને ફરી પાછું સપનાનું પેરિસ બનાવી શકાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News