મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE







મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીમાં અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર માટે આસરે 10 વર્ષ પહેલા 150 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, શહેરમાં બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનમાંથી મોટાભાગના પમ્પિંગ સ્ટેશન હાલમાં બંધ હાલતમાં છે ત્યારે તેના તેના માટે જવાબદાર કોણ તેઓ અણીદાર સવાલ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આવનારી ચુંટણીમાં મારો તે સારો નહીં પરંતુ સારો તે મારો તેવા મંત્રને નજર સમક્ષ રાખીને મતદાન કરવામાં આવશે તો મોરબીને સો ટકા પેરિસ બનાવી શકાય તેમ છે.

મોરબીમાં વર્ષ 2016 માં માજી મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે 150 કરોડની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને શહેરમાંથી ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ કરવા માટે 10 પમ્પિંગ સ્ટેશન જુદા જુદા વિસ્તારમાં બનવામાં આવ્યા છે જોકે, તે 10 પૈકીના 4 પમ્પિંગ સ્ટેશન સદંતર બંધ છે અને અન્ય પમ્પિંગ સ્ટેશન પણ થોડા સમય પહેલા ચાલુ કરવામાં આવ્યા છે તો વર્ષો સુધી આ પમ્પિંગ સ્ટેશન શા માટે થઈને બંધ રહ્યા ? તે બાબતે તપાસ કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા  દ્વારા માંગ કરવામાં આવી છે.

વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને નગરજનોને અપીલ કરી છે કે, અગાઉ મોરબીની અંદર એક જ પક્ષના 52 સભ્યોને ચૂંટણીમાં ચૂંટી કાઢીને નગરજનોએ ખૂબ હાલાકી ભોગવી છે ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં “મારો તે સારો નહીં, પરંતુ સારો એ મારો” આ મંત્રને ધ્યાને રાખીને જો નગરજનો દ્વારા ચૂંટણીમાં મતદાન કરીને ઉમેદવારોને ચૂંટવામાં આવશે તો મોરબીને ફરી પાછું સપનાનું પેરિસ બનાવી શકાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News