બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી


SHARE











ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

રવિવાર 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્ર માતા રમાબાઈ આંબેડકરજીનાં જન્મ જયંતિ પ્રસંગે ટંકારા સ્થિત ડૉ. આંબેડકર ભવન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારા તાલુકા અનુસુચિત સમાજનાં કર્મચારી ગણ તેમજ સુરત, મહારાષ્ટ્રથી ભંતે અમર જ્યોતિ, ભંતે આનંદ તેમજ ભિખ્ખું ધમ્મ રત્નજી ઉપસ્થિત રહ્યાં હતાં.ધુલિયા મહારાષ્ટ્રથી પધારેલાં ભંતે અમર જ્યોતિજીએ ધમ્મ દેશના આપી હતી. ત્યાર બાદ આયુ. બેબી પારમિતા ચૌહાણે સુંદર કેક કાપીને માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, અશોકભાઈ ચાવડા, જયંતિભાઈ સારેસા, બાબુભાઈ સારેસા, 

હસમુખભાઈ સોલંકી, કિશનભાઈ સારેસા, મહેશભાઈ સારેસા, જસવંતભાઈ ચાવડા, એડવોકેટ મનશુખભાઈ ચૌહાણ, સુરેશભાઈ પરમાર, હિમ્મતભાઈ સારેસા, કૌશિકભાઈ પારિયા, નાગસેન નાગવંશી, કૃપાલ બૌદ્ધ, દિલિપભાઈ જાદવ, દેવરાજ પારિયા, પ્રવિણભાઈ પાંચાલ, નાથાલાલ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News