બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત


SHARE











હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે વાડીની બાજુમાં આવેલ નર્મદાની કેનાલના કાંઠે બેસીને સગીરા ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ પણ કારણોસર તેનો મોબાઈલ કેનાલમાં પડી ગયો હતો જેથી તે ફોનને લેવા માટે થઈને સગીરા કેનાલમાં ગઈ હતી અને ત્યારે પગ લપસી જવાના કારણે કેનાલમાં વહેતા પાણીમાં પડી જવાથી સગીરાનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લિહકાભાઈ વસાવેની દીકરી રવિનાબેન વસાવે (16) રણજીતગઢ ગામે કાળુભાઈની વાડી પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના કાંઠે બેસીને મોબાઈલ ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ કારણોસર તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન કેનાલમાં પડી જતા તે ફોન લેવા માટે થઈને કેનાલમાં ગઈ હતી અને દરમિયાન તેનો પગ લપસી જતા સગીરા કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે આ ગીરાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બેભાન અવસ્થામાં મોત

મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતો અને મજૂરી કામ કરતો સંદીપભાઈ રામજીભાઈ ચાવડા (32) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ રામજીભાઈ ચાવડા (35) રહે. ખોડીયાર નગર શેરી નં. છ રાજકોટ વળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News